Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 244
ऋषिः - मेधातिथि0मेध्यातिथी काण्वौ देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6

य꣢ ऋ꣣ते꣡ चि꣢द꣣भिश्रि꣡षः꣢ पु꣣रा꣢ ज꣣त्रु꣡भ्य꣢ आ꣣तृ꣡दः꣢ । स꣡न्धा꣢ता स꣣न्धिं꣢ म꣣घ꣡वा꣢ पुरू꣣व꣢सु꣣र्नि꣡ष्क꣢र्ता꣣ वि꣡ह्रु꣢तं꣣ पु꣡नः꣢ ॥२४४॥

स्वर सहित पद पाठ

यः꣢ । ऋ꣣ते꣢ । चि꣣त् । अभिश्रि꣡षः꣢ । अ꣣भि । श्रि꣡षः꣢꣯ । पु꣣रा꣢ । ज꣣त्रु꣡भ्यः꣢ । आ꣣तृ꣡दः꣢ । आ꣣ । तृ꣡दः꣢꣯ । स꣡न्धा꣢꣯ता । स꣣म् । धा꣣ता । सन्धि꣢म् । स꣣म् । धि꣢म् । म꣣घ꣡वा꣢ । पु꣣रूव꣡सुः꣢ । पु꣣रु । व꣡सुः꣢꣯ । नि꣡ष्क꣢꣯र्ता । निः । क꣣र्त्ता । वि꣡ह्रु꣢꣯तम् । वि । ह्रु꣣तम् । पु꣢नरि꣡ति꣢ ॥२४४॥


स्वर रहित मन्त्र

य ऋते चिदभिश्रिषः पुरा जत्रुभ्य आतृदः । सन्धाता सन्धिं मघवा पुरूवसुर्निष्कर्ता विह्रुतं पुनः ॥२४४॥


स्वर रहित पद पाठ

यः । ऋते । चित् । अभिश्रिषः । अभि । श्रिषः । पुरा । जत्रुभ्यः । आतृदः । आ । तृदः । सन्धाता । सम् । धाता । सन्धिम् । सम् । धिम् । मघवा । पुरूवसुः । पुरु । वसुः । निष्कर्ता । निः । कर्त्ता । विह्रुतम् । वि । ह्रुतम् । पुनरिति ॥२४४॥

सामवेद - मन्त्र संख्या : 244
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (यः पुरुवसुः मघवा) જે સર્વમાં વસનાર-સર્વવ્યાપક વા સર્વને પોતાની અંદર વસાવનાર રક્ષક ઇન્દ્ર-ઐશ્વર્યવાન પરમાત્મા (जत्रुभ्यः) ગ્રીવાની સંધિથી પ્રધાન અંગો અર્થાત્ ગ્રીવાથી ઉપરના અંગોને (आतृदः पुरा) આતર્દન હિંસક-તૂટવાથી-છૂટા પડ્યા પહેલાં (अभिश्रिषः ऋतेचित्) અભિશ્લેષ-ચોટાડવા અથવા (सन्धिं सन्धाता) જોડવાના સાધન વિના પણ જોડવાની શક્તિ રાખનાર છે (पुनः) ફરી (वि हु तं विद्रुतम्) પ્રધાન અથવા ગ્રીવાથી ઉપરના અંગોથી અન્ય પૃથક્-પૃથક્ જે માંસ વગેરે અંગો છે તેને પણ તેની માફક તેનાથી હિંસિત થયા પહેલાં જ (निष्कर्ता) પ્રત્યેકનું નિષ્કરણ નિયોજન-યથાસ્થાન પર સ્થાપન કરનાર છે. તે ઉપાસ્ય છે. (૨)

 

भावार्थ -

ભાવાર્થ : મનુષ્ય શરીરને લક્ષ્ય બનાવીને પરમાત્માના મનનની રીતિ બતાવી છે કે, સંસારમાં શલ્ય ચિકિત્સક સર્જન તો ગ્રીવા આદિ અંગ જ્યારે પોતાની સંધિઓથી કપાઈને છૂટા પડી જાય છે, ત્યારે તેને જોડે છે અને તેને સાધનો ધ્વારા જોડી શકે છે. પરન્તુ પરમાત્મા તો સર્વમાં વસેલો અને સર્વને વસાવનાર છે, તે તો ગ્રીવા આદિ મુખ્ય અથવા ગ્રીવાથી ઉપરના અંગોને તેના સંધિબંધનથી છૂટી જવા પહેલાં જ જોડનાર છે અને જોડવાના સાધન વિનાજ એક સંધિબંધન બીજા બંધન સાથે સંધાનજોડવાની શક્તિ રાખનાર તથા એક અસ્થિનું બીજા અસ્થિથી સંધાન કરે છે-જોડે છે. ફરી એ જ રીતે જે અવયવ અલગ થયેલાં માંસ આદિને પણ તે કપાયા પહેલાં જ સાધન વિના જ સંયોજન કરીને યથાસ્થાન સ્થાપિત કરવામાં સમર્થ છે. આવી અદ્ભુત શરીરની રચનાને જોઈને વિચાર-મનન કરીને તે પરમ શલ્ય ચિકિત્સક = મહાન સર્જક અથવા પરમ શિલ્પીની ઉપાસના કરવી જોઈએ. (૨)

इस भाष्य को एडिट करें
Top